ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત પ્રાથમિક કન્યાશાળા દ્વારા આજરોજ 2025 નો આનંદ મેળો યોજાયો હતો.

જેમાં શાળાની બળાઓએ વિવિધ ખાણીપીણી ના સ્ટોલ નું આયોજન કર્યું હતું. શાળાના બાળકોએ આ મેળાની મોજ ઉત્સાહભેર માણી હતી. આ મેળામાં નબીપુરની પ્રાથમિક કુમારશાળા ના બાળકો પણ મુલાકાતે આવ્યા હતા. અને તેમણે પણ ખાણીપીણી ની મોજ મારી હતી.

બંને શાળાના શિક્ષકગણે આ આનંદ મેળામાં પોતાનો સહયોગ આપ્યો હતો. અને શાળાના પ્રતાગણમા બાળકો શાંતિમય રીતે આંનદ માણી શકે અને સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખી હતી.

આ મેળામાં ફરતા બાળકો ખુબજ ઉત્સાહી અને મોજમસ્તીમાં દેખાતા હતા. આ આનંદ મેળાને સફળ બનાવવા બદલ નબીપુર કન્યાશાળાના આચાર્યએ સૌ શિક્ષકગણ અને હાજર રહેલા બાળકોનો આભાર માન્યો હતો. આ મેળા દરમ્યાન પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

સદ્દામ બી. ભટ્ટી નબીપુર









