વાગરા ના સારણ ગામે થયેલ ૩૦ લાખથી વધુની ચોરીનો ભેદ એલ.સી.બી દ્વારા ઉકેલાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાગરા તાલુકાના સારણ ગામે આશરે ૨૦ દિવસ પહેલા થયેલી ૩૦.૮૫ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી,દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની એક કુખ્યાત ચોર ટોળકીના એક સાગરીત ને ઝડપી પાડ્યો હતો.ગત તા.૩ જુલાઈ ના રોજ રાત્રિના સમયે સારણ ગામમાં એક મકાનમાંથી રૂ. ૩૦,૮૫,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી.

બનાવને પગલે ભરૂચ LCB ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન, LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે.ઉક્ત બાતમીને આધારે, LCB ની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. ત્યાં, ગ્રામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ ગુપ્ત માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી. આ સઘન તપાસના અંતે, LCB એ સારણ ગામમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય દિપાભાઈ નાનીયા પલાસ (રહે. આમલી ખજૂરીયા, જિ. દાહોદ) ને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિજય પલાસે સ્વીકાર્યું હતું કે તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને બીજી જુલાઈ ના રોજ સારણ ગામે ચોરી નો ગુનો આચાર્યો હતો. ઝડપાયેલા આરોપી વિજય દિપાભાઈ નાનીયા પલાસ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.

જો કે ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે…?? ચોરીનો મુદ્દામાલ કેવી રીતે રિકવર કરવો..?? અને વોન્ટેડ આરોપીઓને કેવી રીતે ઝડપી પાડવા…?? તે અંગે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફુલતરિયા દ્વારા આગળની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

LCB દ્વારા પર્દાફાશ કરાયેલ આ દાહોદ ગેંગના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે, જેમાં નિકેશ જવસીંગ પલાસ, અરવિંદ મડીયા મીનામા તેમજ શિવરાજ ધારકા પલાસ જે તમામ આરોપીઓ દાહોદના ગરબાડા વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!