ભારત સંચાર નિગમ લિમિટેડ અપડેટ થયું, ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શનમાં હવે TV ચેનલોનો સમાવેશ થયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારત સંચાર નિગમ લિમિટેડ એ ભારતીય કેન્દ્રીય જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની માલિકી હેઠળ છે, જે ભારત સરકારના સંચાર મંત્રાલયનો ભાગ છે. કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમની સ્થાપના 1 ઓક્ટોબર 2000ના રોજ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. BSNL માં સીમકાર્ડ, લેન્ડલાઈન સહિત બ્રોડબેન્ડ વાઇફાઇની સુવિધાઓ ઉપલબ્ધ છે.

લુપ્ત થઈ જવાને આડેથી ફરી એકવાર BSNL એ માર્કેટમાં પોતાની પકડ જમાવી હતી. જેમાં થોડા સમય પહેલાંજ સીમકાર્ડમાં 4G લોન્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ 2025 માં નવા વર્ષના પ્રારંભેજ ગ્રાહકો માટે વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો.

જેમાં હાલ BSNL બ્રોડબેન્ડ કનેક્શન વાપરતા ગ્રાહકોને ઈન્ટરનેટ સહિત લેન્ડલાઈનની સુવિધાઓ પ્રાપ્ત હતી. જેમાં હવે 500 થી વધુ TV ચેનલોનો સમાવેશ કરવામાં આવતા ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અત્યારે આપના ચાલુ પ્લાનમાં કોઈ પણ વધારાના ચાર્જ વિના આપ 500 થી વધુ TV ચેનલો જોવાની મોજ માણી શકો છો. જો તમે હાલ BSNL બ્રોડબેન્ડ કનેક્શન વાપરી રહ્યા છો અને તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો આ વીડિયો તમારા માટે છે. 

અને જો તમે વાગરા વિસ્તારમાં રહો છો અને તમારે BSNL બ્રોડબેન્ડનું નવું કનેક્શન જોઈએ છે. તો હમણાં જ આ નંબર ઉપર વોટ્સએપ કરી વધુ માહિતી મેળવો 9313729348

સદ્દામ બી. ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!