દયાદરાની સાબરી કોલોનીમાં અનેક ચકલીઓ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.છેલ્લા કેટલાક સમયથી અદ્રશ્ય થયેલ ચકલીઓ એ ફરી એકવાર દેખા દીધી હતી.તેવામાં અચાનક કેટલીક ચકલીઓ ના મોત ને કારણે અનેક શંકા-કુશંકાઓ પ્રવર્તી રહી છે.વિલાયત જીઆઈડીસીના પ્રદૂષણની સ્થાનિકોમાં આશંકા પ્રબળ બની રહી છે.ત્યારે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પંથકના જાગૃત નગરિકોમાંથી બુલંદ થવા પામી છે.દયાદરા ગામના સાબરી કોલોની વિસ્તારમાં અનેક ચકલીઓ શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.

એકસાથે મોટી સંખ્યામાં ચકલીઓના મોતને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.સ્થાનિક રહિશોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નજીકના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાંથી થતા પ્રદૂષણની અસરના કારણે આ ઘટના બની હોઈ શકે છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ગ્રામજનોએ વન વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા સંબંધિત તંત્રને ઘટનાની તાત્કાલિક અને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી ચકલીઓના મોતનું સાચું કારણ જાહેર કરવાની માંગ કરી છે.

જો તપાસમાં કોઈ વ્યક્તિ, ઉદ્યોગ અથવા અન્ય જવાબદાર તત્વની બેદરકારી સામે આવે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.સદર ઘટનાની તાકીદે તપાસ થાય અને કસુરવારો સામે કડક હાથે કામ લેવામાં આવે એ જ સમયની માંગ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ









