દયાદરા દારૂલ ઉલુમ નુરે મોહમ્મદી ખાતે તા.૨૧ જાન્યુ એ દસ્તારબંદીનો ભવ્ય જલસો યોજાશે.જેમાં દારૂલ ઉલુમમા અભ્યાસ પૂર્ણ કરનાર આલીમ,ફાઝીલ હાફિઝ,કારી સહિત ઇમામ ની ડીગ્રી પ્રાપ્ત કરનાર ૫૨ તલબાઓને સાદાત તેમજ ઉલેમાંઓના હસ્તે સનદ અર્પણ કરવામાં આવશે.આ તબક્કે આસ્તાના એ મૂહદ્દીષે આઝમે હિન્દ કિછોછા શરીફ(યુ.પી) ના નાયબ સજ્જાદા નશીન અલ્લામા વ મૌલાના હાફીઝો કારી સૈયદ નુરાનીમિયા અશરફીયુલ જીલાની ખાસ ઉપસ્થિત રહી તકરીર ફરમાવશે.આ પ્રસંગે ખાનકાહે પંજતન પાક દયાદરા ના હઝરત સૈયદ નુરાની બાવા તેમજ હઝરત સૈયદ ફરીદ બાવા સાબરી અઝીઝી ચિશતી સહિત અનેક સાદાતે કિરામ ઉલેમા તેમજ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તેમ એક અખબારી યાદીમાં દારૂલ ઉલુમના નાઝીમે આલા સલીમ ચિશતીએ જણાવ્યું હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









