જીવનતીર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવક મંડળ, ઝનોરના પ્રમુખ પુષ્પદીપસિંહ યોગેન્દ્રસિંહ રાજના જન્મદિવસ નિમિત્તે ઝનોર આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના ઉપપ્રમુખ અક્ષયસિંહ રાજ, ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર, યુવા મોરચાના ઉપપ્રમુખ રાજદીપસિંહ બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ









