વાગરામાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાગરા નગરમાં ડી.જે તેમજ ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું હતું,

જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનો અને દલિત સમાજના લોકોએ પણ ડો.બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સદ્દામ બી. ભટ્ટી વાગરા









