ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે, તા.૨૫મી જૂન ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે, ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક લી.ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્યા હતા.

કટોકટી લાદવામાં આવી તેના કારણે ભારતની લોકશાહી ખતરામાં મૂકાઈ હતી. જેને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢવા માટે આજના દીવસને સરકારે સંવિધાન હત્યા દીવસ જાહેર કર્યો છે.વધુમાં, મિસા કાયદા અંગે જણાવ્યું હતું કે, મેઈન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી એક્ટ (MISA) (ભારતની આંતરિક સલામતી માટેનો કાયદો) 1971માં ભારતમાં અમલ મા આવ્યો હતો આ અવસરે કટોકટીકાળ દરમિયાન ફિલ્મ પર પ્રતિબંધ, પત્રકાર ધરણાંઓ, નાગરિકોની સમસ્યાઓ સહિત કટોકટીની ઘટનાનો તબક્કાવાર ઘટનાક્રમ તેમજ સેંગોંગ અને બંધારણની પ્રતિકૃતિઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેને કલેક્ટર સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું. મહાનુભાવો અને અધિકારીઓએ સિગ્નેચર કેમ્પેઈનમાં સહી કરી હતી.

આ પ્રસંગે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રણા, નગરપાલીકા પ્રમુખવિભૂતી યાદવ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, સરકારી વકીલ, આસિ.પબ્લિક પ્રોસિક્યુટર સહિત જિલ્લાના અગ્રણીઓ, અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









