વાલીયા તાલુકાના ૧૮ ગામોની જમીન GMDC દ્વારા સંપાદિત કરવા મુદ્દે ખેડૂતોનું કલેકટરને આવેદન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ના ખેડૂતો ની જીએમડીસી દ્વારા કરવામાં આવનાર સંપાદન સામે ખેડૂતો એ જિલ્લા કલેકટર ને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહીત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન GMDC દ્વારા સંપાદન થવાની છે.૨૦૧૧માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી.જેમાં સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩માં ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ૨૦૨૪ના નવા ડ્રાફટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં GMDC હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે.તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે.જેને પગલે અન્યાય થઇ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સદ્દામ બી. ભટ્ટી ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!