ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમા ૭૬ નવા શિક્ષકો ને શિક્ષણ સહાયક ભલામણપત્ર અને નિમણૂકપત્ર વિતરણ કરાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર – નિમણૂક પત્ર વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં નવ નિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે અપીલ કરી હતી.ડિઈઓ ના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વર સ્થિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર – નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં, ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ૭૬ જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ, ભરૂચના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં નવા શિક્ષણ સહાયકોને આવકારવા સાથે અપડેટ રહી ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી દિવ્યેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે નવા શિક્ષકો ની નિમણૂક ને પગલે શિક્ષકો ના કામનું ભારણ ઘટશે તેમજ વિદ્યાર્થીઓ ના અભ્યાસ મા પણ ફાયદાકારક નિવડવા ની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!