મુખ્યમંત્રી દ્વારા લોકોની પડતર સમસ્યાઓના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદારના અંગત પ્રશ્નો, જેમાં કોર્ટ કેસ, નીતિ વિષયક બાબતો અને સેવા સંબંધિત બાબતો સિવાયની અન્ય બાબતોનો સમાવેશ થાય છે, તે સંબંધિત કચેરીમાં ઉકેલાતા નથી, આવા કેસોનું નિરાકરણ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે.

ભરૂચ ગ્રામીણ મામલતદાર કચેરીમાં મામલતદાર એમ. ડી. મિસ્ત્રી અને અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ભરૂચ જિલ્લા આયોજન અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં 08 અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

સદ્દામ બી. ભટ્ટી









