ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ ની ગાંધીનગર ખાતે બદલી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મંત્રી ના અંગત સચિવ તરીકે જવાબદારી સંભાળશે ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ ની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.હવે થી તેઓ મંત્રી ના અંગત સચિવ તરીકે જવાબદારી સંભાળશે.ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં, ગતરોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એન.આર. ધાંધલે જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.સાથે જ તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી. સમારંભમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટર, મામલતદાર તથા જિલ્લા સેવાસદનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને સ્મરણિય અને સન્માનસભર વિદાય આપી હતી.ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ નોંધપાત્ર કામગીરી નિભાવી હતી. એન.આર. ધાંધલની તા. ૧૭ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા હતા.

હોદ્દાની રૂએ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ કર્યું હતું,જેને કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી હતી.એન.આર. ધાંધલ તા. ૯ મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લામાંથી વિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે. જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!